#દિનમહિમા
#લાલબહાદુરશાસ્ત્રી
#જયજવાનજયકિસાન
#2October
#જન્મજયંતિ
1904 ના રોજ વારાણસી પાસે રામનગર નામના ગામમાં થયો હતો.
મહાત્મા ગાંધી અને શાસ્ત્રીજીની જન્મ તિથી એક સાથે આવે છે એ પણ યોગાનુયોગ છે.
વધુ જાણકારી માટે ક્લિક કરો
https://bit.ly/36gufN5
લાલ બહાદુર શાસ્ત્રી ભારતના બીજા પ્રધાનમંત્રી હતા. તેમનો જન્મ 2 ઓકટોબર 1904 ના રોજ વારાણસી પાસે રામનગર નામના ગામમાં થ.....
0 notes
0 notes
#zigyanews#EDUCATIONNEWS
ગુજરાતટી દ્વારા આજે પીએચડીની એન્ટ્રન્સનો કાર્યક્રમ જાહેર કર્યો છે. 1 નવેમ્બર એન્ટ્રન્સ ટેસ્ટ લેવામાં આવશે. બીજા દિવસે રિઝલ્ટ જાહેર કરવામાં આવશે. નવીશિક્ષણનીતિ પ્રમાણે પ્રથમ વખત એમફિલ કર્યું ન હોય તેવા માસ્ટર ડિગ્રીના તમામ વિદ્યાર્થીઓ રિઝલ્ટ બાકી હોવા છતાં પણ ટેસ્ટ આપી શકશે. પર્સનલ ઈન્ટરવ્યૂ, આરડીસી બધું જ ઓનલાઈન દિવાળી પહેલાં આટોપી લેવામાં આવશે. આશરે 400 થી 500 જેટલી પીએચડીની સીટ છે. જેના માટે સામાન્ય રીતે 800 જેટલાં વિદ્યાર્થીઓ અરજી કરે છે. પીએચડીની એન્ટ્રન્સ માટે આજથી પિન વિતરણ થશે. ઓનલાઈન રજિસ્ટ્રેશન 6 થી 15 ઓક્ટોબર સુધી ચાલશે. 1 લી નવેમ્બરના રોજ યુનિવર્સિટી કેમ્પર પર જ ઓનલાઈન પરીક્ષા લેવામાં આવ્શે. યુનિવર્સિટી પાસે 400 કમ્પ્યુટરની વિશાળ લેબ છે. એન્ટ્રન્સ ટેસ્ટનું રિઝલ્ટ બીજા દિવસે જાહેર કરવામાં આવશે. યુનિવર્સિ
0 notes
0 notes
0 notes
0 notes
0 notes
#UPSC
#zigyanews
#EDUCATIONNEWS
UPSC એ સુપ્રીમ કોર્ટને જણાવ્યું છે કે 4 ઓક્ટોબરે યોજાનારી સિવિલ સેવા પરીક્ષાને કોવિડ 19 ને કારણે ટાળી શકાય નહીં. આ અંગે સુપ્રીમ કોર્ટે UPSC ને મંગળવાર સુધીમાં સોગંદનામું દાખલ કરવા કહું છે. વાસ્તવમાં કોવિડ 19ના કેસો વધવાને કારણે સુપ્રીમ કોર્ટ UPSC ની પરીક્ષાને સ્થગિત કરવા માટેની અરજી પર સુનાવણી કરી રહી છે. UPSC ના વકીલે અદાલતને જણાવ્યું કે, સિવિલ સેવા પ્રારંભિક પરીક્ષા પહેલાં 30 સપ્ટેમ્બરે યોજાવાની હતી અને તેને 4 ઓક્ટોબર સુધી સ્થગિત કરાઇ હતી. હવે તેને વધુ સ્થગિત કરવી સંભવ નથી, તેથી આ પરીક્ષા 4 ઓક્ટોબરે જ યોજી શકાય એમ છે.
0 notes
#zigyanews#EDUCATIONNEWS#NEET
ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન સાત મેડિકલ કોલેજના એમબીબીએસના ચારેય વર્ષના મળીને આશરે 6000 વિદ્યાર્થીઓની પ્રિલીમ એકઝામ રદકરવાનો મેડિકલ ફેક્લ્ટીએ નિર્ણય જાહેર કર્યો છે. તેના બદલે હાલમાં જે વિદ્યાર્થીઓ કોવિડ સહાયક તરીકે ફરિલમાં ડયૂટી બજાવે છે તે સમયગાળો અને ઓનલાઈન ટેસ્ટના માર્કના આધારે ઈન્ટરનલ માર્ક મૂકવામાં આવશે. તેના કારણે દર્દીઓ માટે ડોક્ટરો મળી રહેશે અને ડોક્ટરોને પરીક્ષા માટે ફિઝિકલ હાજર થવાની જરૂર નહીં રહે. કોરોના વાઈરસથી થતી કોવિડ બીમારીમાં દર્દીઓને સાજા કરવાની જવાબદારી ડોક્ટરો ઉપરાંત એમબીબીએસના તમામ વર્ષના વિદ્યાર્થીઓને પણ્ર સોંપવામાં આવી છે.હાલમાં 2000 જેટલાં વિદ્યાર્થીઓ કોવિડ ડયૂટી બજાવી રહ્યા છે. આ વિદ્યાર્થીઓનું ઓનલાઈન એજ્યુકેશન તો ચાલુ જ છે પરંતુ તે ઉપરાંત આ વધારાની જવાબદારી પણ તેઓ સંભાળી રહ્યા છે. આ વિદ્યાર્થીઓની પ્રિલીમ પરીક્ષા લઈ તેના ઈન્ટરનલ માર્ક મૂકીને યુનિવર્સિટીમાં સબમિટ કરવાના હોય છે. પરંતુ આ વર્ષે ફ્રિઝિકલ પરીક્ષા શક્ય નથી. જેથી મેડિકલ ફેકલ્ટીના ડીન ડૉ. રશ્મિકાન્ત દવે, સિન્ડિકેટ સભ્ય ડૉ.મહેશ પટેલ સહિતના સભ્યોએ એવો નિર્ણય કર્યો કે ફ્રિઝિકલ પરીક્ષા લેવામાં નહીં આવે. તો પછી ઈન્ટરનલ માર્ક કઈ રીતે મૂકવા ? તેના માટે એવો રસ્તો કાઢવામાં આવ્યો છે કે જે વિદ્યાર્થીઓ કોવિડ સહાયક તરીકે ડ્યૂટી બજાવે છે તે સમયગાળાને ગણતરીમાં લઈને માર્ક મૂકવા. જે વિદ્યાર્થી કોવિડ સહાયક તરીકે સેવા નથી આપતા તેના માર્ક ઓનલાઈન ટેસ્ટના આધારે મૂકવા. આમ કરવાથી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળશે અને હાલમાં કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે ફ્રિલ્ડમાંથી કોવિડ સહાયક ડોક્ટરોની અછત નહીં સર્જાય.ડો.મહેશ પટેલે કહ્યું કે અમારી ફોર્મ્યુલા સરકારે પણ મંગાવી છે. તેમજ અન્ય યુનિવર્સિટીઓએ પણ અભ્યાસ કર્યો છે. કદાચ આગામી સમયમાં અન્ય યુનિવર્સિટીઓ પણ આ પદ્વતિ અનુસરે તેવી શક્યતા છે.
0 notes
दिनमहिमा #मातंगिनीहज़ारा #29September
मातंगिनी हज़ारा भारत की स्वतंत्रता के लिए अपने प्राणों की आहुति देने वाली बंगाल की वीरांगनाओं में से थीं। भारतीय इतिहास में उनका नाम बड़े ही मान-सम्मान के साथ लिया जाता है।
मातंगिनी हज़ारा का जन्म 19 अक्टूबर, 1870 ई. में पश्चिम बंगाल के मिदनापुर ज़िले में हुआ था। वे एक ग़रीब किसान की बेटी थीं। उन दिनों लड़कियों को अधिक पढ़ाया नहीं जाता था, इसलिए मातंगिनी भी निरक्षर रह गईं। उनके पिता ने बहुत छोटी उम्र मे ही उनका विवाह साठ वर्ष के एक धनी वृद्ध के साथ कर दिया था। जब मातंगिनी मात्र अठारह वर्ष की थीं, तभी वह विधवा हो गईं। अपने पति के मकान के पास एक कुटिया बनाकर वे रहने लगीं।
क्रांतिकारी गतिविधियाँसन 1930 के आंदोलन में जब उनके गाँव के कुछ युवकों ने भाग लिया तो मातंगिनी ने पहली बार स्वतंत्रता की चर्चा सुनी। 1932 में उनके गाँव में एक जुलूस निकला। उसमें कोई भी महिला नहीं थी। यह देखकर मातंगिनी जुलूस में सम्मिलित हो गईं। यह उनके जीवन का एक नया अध्याय था। फिर उन्होंने गाँधीजी के 'नमक सत्याग्रह' में भी भाग लिया। इसमें अनेक व्यक्ति गिरफ्तार हुए, किंतु मातंगिनी की वृद्धावस्था देखकर उन्हें छोड़ दिया गया। उस पर मौका मिलते ही उन्होंने तामलुक की कचहरी पर, जो पुलिस के पहरे में थी, चुपचाप जाकर तिरंगा झंडा फहरा दिया। इस पर उन्हें इतनी मार पड़ी कि मुँह से खून निकलने लगा। सन 1933 में गवर्नर को काला झंडा दिखाने पर उन्हें 6 महीने की सज़ा भोगनी पड़ी।
साहसिक महिलाइसके बाद सन 1942 में 'भारत छोड़ो आन्दोलन' के दौरान ही एक घटना घटी। 29 सितम्बर, 1942 के दिन एक बड़ा जुलूस तामलुक की कचहरी और पुलिस लाइन पर क़ब्ज़ा करने के लिए आगे बढ़ा। मातंगिनी इसमें सबसे आगे रहना चाहती थीं। किंतु पुरुषों के रहते एक महिला को संकट में डालने के लिए कोई तैयार नहीं हुआ। जैसे ही जुलूस आगे बढ़ा, अंग्रेज़ सशस्त्र सेना ने बन्दूकें तान लीं और प्रदर्शनकारियों को रुक जाने का आदेश दिया। इससे जुलूस में कुछ खलबली मच गई और लोग बिखरने लगे। ठीक इसी समय जुलूस के बीच से निकलकर मातंगिनी हज़ारा सबसे आगे आ गईं।
शहादतमातंगिनी ने तिरंगा झंडा अपने हाथ में ले लिया। लोग उनकी ललकार सुनकर फिर से एकत्र हो गए। अंग्रेज़ी सेना ने चेतावनी दी और फिर गोली चला दी। पहली गोली मातंगिनी के पैर में लगी। जब वह फिर भी आगे बढ़ती गईं तो उनके हाथ को निशाना बनाया गया। लेकिन उन्होंने तिरंगा फिर भी नहीं छोड़ा। इस पर तीसरी गोली उनके सीने पर मारी गई और इस तरह एक अज्ञात नारी 'भारत माता' के चरणों मे शहीद हो गई।
0 notes
#zigyanews #EDUCATIONNEWS #JEEAdvanced #JEEMain
આઈઆઈટીમાં ઈજનેરીમાં બીટેક કરવાની તક પુરી પાડતો JEE-Advanced ટેસ્ટ આજે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી. એડવાન્સ આપવા માટે દેશમાંથી 2.50 લાખ વિદ્યાર્થીઓને લાયક ગણવામાં આવ્યા હતા. JEEએ સત્તાવાર આંકડા જાહેર કર્યા નથી પરંતુ આશરે 2.10 લાખ કે તેથી વધુ 2.20 લાખ વિદ્યાર્થીઓએ ટેસ્ટ આપી હોવાનું અનુમાન છે. JEE-Advanced નું 5 મી ઓક્ટોબરે રિઝલ્ટ જાહેર થશે અને 6 ઓક્ટોબરે જોસા દ્વારા કાઉન્સેલિંગ શરૂ થઈ જશે. આ વખતે કોરોનાના કારણે JEE-Advanced તેના નિયત સમયપત્રક પ્રમાણે લઈ શકાય નહોતી. JEE-Main લેવાય ત્યારબાદ એડવાન્સ લેવાતી હોય છે. પરંતુ આ વર્ષે બધા સમયપત્રક ખોરવાયા હતા.
આજે કોરોનાની ગાઈડલાઈન મુજબ કમ્પ્યુટર બેઝડ ટેસ્ટ લેવાઈ હતી. JEE-Advanced માટે સામાન્ય રીતે ધોરણ 12 સાયન્સમાં 75 ટકા અને JEE-Mainનો કટઓફ સ્કોર પાર કર્યો હોય તેવી લાયકાત હતી. પરંતુ કોરોનાના કારણે સરકારે ધોરણ 12 માં 75 ટકાની જોગવાઈ દૂર કરી છે. માત્ર ધોરણ 12 પાસ હોય તે વિદ્યાર્થીને પણ એડવાન્સ આપવા માટે લાયક ગણ્યા હતા. તેમ છતાં રજિસ્ટ્રેશન ઓછું થયું હતું. જો કે વિદ્યાર્થીએ JEE-Mainમાં કટઓફ સ્કોર મેળવેલો હોવો જોઈએ. એડવાન્સ માટે 2.50 લાખ વિદ્યાર્થીઓ લાયક ગણાય છે પરંતુ દિલ્હી આઈઆઈટીએ હજુ સુધી આંકડા જાહેર કર્યા નથી તેના કારણે ચોક્કસ આંકડો બહાર આવ્યો નથી. પરંતુ એડવાન્સ આપનારની સંખ્યામાં આ વર્ષે મોટો ઘટાડો નોંધાયો છે.
એનઆઈટીમાં એડમિશન માટે પણ ધોરણ 12 પાસ હોય તેને લાયક ગણવામાં આવ્યા છે. અમદાવાદમાં 800 થી 1000 જેવા વિદ્યાર્થીઓ અને સમગ્ર ગુજરાતમાંથી આશરે 5 થી 6 હજાર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હોવાનો અંદાજ છે. કોરોનાના કારણે આ વર્ષે ટેસ્ટ નહીં આપનાર વિદ્યાર્થીઓની સંખ્યામાં મોટો વધારો જોવા મળ્યો છે. 5 ઓક્ટોબરે રિઝલ્ટ જાહેર થયાના બીજા જ દિવસે સેન્ટ્રલ એડમિશન કમિટી દ્વારા 6 ઓક્ટોબરથી કાઉન્સેલિંગ કરવામાં આવશે.
0 notes
0 notes
#zigyanews #EDUCATIONNEWS
ગુજરાતના સરકારી શિક્ષણને ગુણવત્તાલક્ષી બનાવવાની મસમોટી વાતો વચ્ચે સરકારી શિક્ષણના વળતા પાણી અને ખાનગીકરણને છુટો દોર મળવાની સરકારની નીતિની પોલ વિધાનસભામાં ખુલી પડી છે. વિપક્ષ દ્વારા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં સરકારે કબલ્યું છે કે, છેલ્લા બે વર્ષમાં રાજ્યની કુલ 123 પ્રાથમિક શાળાના શટર ��ડ્યાં છે. એટલું જ નહી રાજ્યમાં નવી 1157 ખાનગી પ્રાથમિક શાળાને મંજૂરી આપવામાં આવી છે.નવી ખાનગી પ્રાથમિક શાળાઓને મંજૂરી આપવાની સાથે સાથે 2816 ખાનગી પ્રાથમિક શાળાઓમાં વર્ગ વધારાની મંજૂરી પણ આપવામાં આવી છે. આ સિવાય રાજ્યમાં 246 નવી ખાનગી હાસ્કૂ��� અને 569 ખાનગી હાઈસ્કૂલોમાં વર્ગ વધારો કરી આપવામાં આવ્યો છે. રાજ્યમાં ધોરણ 8 પછી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભણવાનું છોડી દેશે તેના પાછળનું મુળ કારણ એ છે કે, ગ્રામ્ય વિસ્તારમાં સરકારી હાઈસ્કૂલોની મોટી અછત છે. ત્યારે નવી સરકારી હાઈસ્કૂલો શરૂ કરવાના બદલે ખાનગી હાઈસ્કુલોને આડેધડ મંજૂરી અપાઈ રહી છે.
0 notes
#દિનમહીમાં #24સપ્ટેમ્બર#અક્ષરધામમંદિરહુમલો2002
અક્ષરધામ મંદિર એ ગાંધીનગરની ઓળખ છે. 2002 ના વર્ષની ઘણી બધી યાદો ગુજરાત અને દેશ માટે દુખદ છે. 24 September 2002 ના દિવસે થયેલો આતંકી હુમલો દેશના જધન્ય હુમલા પૈકી એક છે.વધુ જાણકારી મારે લિંક પર ક્લિક કરો :https://bit.ly/304gD3
0 notes
#zigyanews #EDUCATIONNEW
ગુજરાત યુનિવર્સિટીમાં બીજા તબક્કાની ઓફલાઈન પરીક્ષા પૂરી થવામાં છે. પરંતુ યુનિવર્સિટી દ્વારા હજુ સુધી ઓનલાઈન પરીક્ષાનું ટાઇમટેબલ જાહેર નહીં કરાતાં વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા છે. યુનિવર્સિટીએ ઓનલાઇન પરીક્ષા પહેલાં લેવાના બદલે પાછળ ઠેલતા હજારો વિદ્યાર્થીઓને નાછૂટકે ઓફલાઈન પરીક્ષામાં જોડાવવું પડ્યું છે. જીટીયુએ ત્રણ તબક્કામાં ઓનલાઈન પરીક્ષા લઈ રિઝલ્ટ પણ જાહેર કરી દીધા છે. તેની સામે રાજ્યની સૌથી મોટી ગુજરાત યુનિવર્સિટીમાં ઓનલાઈન પરીક્ષાના ટાઈમટેબલના ઠેકાણા નથી. વિદ્યાર્થીઓ યુનિવર્સિટીમાં પુછપરછ કરે છે પરંતુ તેમને મેઈલ આવશે તેવી જાણ કરવામાં આવે છે.યુનિવર્સિટીએ ઓનલાઈન પરીક્ષા માટે વિદ્યાર્થીઓના લેપટોપ, ટેબ્લેટ, મોબાઈલનું પ્રિ-ચેક ટ્રાયલ ટેસ્ટ પણ કરી લીધું છે. પરંતુ હજુ સુધી પરીક્ષાની તારીખ જાહેર કરી નથી. યુનિવર્સિટી જો ધારત તો ઓફલાઈનની સાથે સાથે ઓનલાઈન પરીક્ષાનો વિકલ્પ પસંદ કરનાર વિદ્યાર્થીઓની પરીક્ષા લઈ શકી હોત તો આજે વિદ્યાર્થીઓ પરિક્ષા આપીને છૂટા પણ થઈ ગયા હોત. પરંતુ વિદ્યાર્થીઓના કમનસીબે હજુ સુધી યુનિવર્સિટીએ આવો કોઈ નિર્ણય કર્યો નથી
0 notes
#zigyanews #EDUCATIONNEWS
ગુજરાત યુનિવર્સિટીમાં બીજા તબક્કાની ઓફલાઈન પરીક્ષા પૂરી થવામાં છે. પરંતુ યુનિવર્સિટી દ્વારા હજુ સુધી ઓનલાઈન પરીક્ષાનું ટાઇમટેબલ જાહેર નહીં કરાતાં વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા છે. યુનિવર્સિટીએ ઓનલાઇન પરીક્ષા પહેલાં લેવાના બદલે પાછળ ઠેલતા હજારો વિદ્યાર્થીઓને નાછૂટકે ઓફલાઈન પરીક્ષામાં જોડાવવું પડ્યું છે. જીટીયુએ ત્રણ તબક્કામાં ઓનલાઈન પરીક્ષા લઈ રિઝલ્ટ પણ જાહેર કરી દીધા છે. તેની સામે રાજ્યની સૌથી મોટી ગુજરાત યુનિવર્સિટીમાં ઓનલાઈન પરીક્ષાના ટાઈમટેબલના ઠેકાણા નથી. વિદ્યાર્થીઓ યુનિવર્સિટીમાં પુછપરછ કરે છે પરંતુ તેમને મેઈલ આવશે તેવી જાણ કરવામાં આવે છે.
યુનિવર્સિટીએ ઓનલાઈન પરીક્ષા માટે વિદ્યાર્થીઓના લેપટોપ, ટેબ્લેટ, મોબાઈલનું પ્રિ-ચેક ટ્રાયલ ટેસ્ટ પણ કરી લીધું છે. પરંતુ હજુ સુધી પરીક્ષાની તારીખ જાહેર કરી નથી. યુનિવર્સિટી જો ધારત તો ઓફલાઈનની સાથે સાથે ઓનલાઈન પરીક્ષાનો વિકલ્પ પસંદ કરનાર વિદ્યાર્થીઓની પરીક્ષા લઈ શકી હોત તો આજે વિદ્યાર્થીઓ પરિક્ષા આપીને છૂટા પણ થઈ ગયા હોત. પરંતુ વિદ્યાર્થીઓના કમનસીબે હજુ સુધી યુનિવર્સિટીએ આવો કોઈ નિર્ણય કર્યો નથી
0 notes
0 notes