૩૪. નિર્ણયશક્તિ જ મહાશક્તિ!
૩૪. નિર્ણયશક્તિ જ મહાશક્તિ!
34. Decision-making is the Superpower!
નાની નાની બાબતોમાં પણ યોગ્ય નિર્ણય લેવો એ ખુદ શક્તિ બની જાય છે.
સિકંદર એના જીવનકાળ દરમિયાન અનેક લડાઈઓ લડયો. લડાઈ લડવી એટલે માત્ર શસ્ત્રો ચલાવવાં અને દુશ્મનના સૈનિકોનો ખાત્મો બોલાવવો એવું નથી. લડાઈ લડવા માટે અનેક બાબતો વિચારવી પડે છે અને ધ્યાનમાં રાખવી પડે છે. વિવિધ બાબતોનાં લેખાંજોખાં તપાસવા પડે છે. અનેક હકીકતો એકઠી કરીને એમનું પૃથક્કરણ કરવું પડે છે તથા…
View On WordPress
0 notes
e-Book - Self Management
e-Book – Self Management
પ્રેરણાત્મક નિબંધસંગ્રહ ‘સેલ્ફ મેનેજમેન્ટ’માં વિવિધતા સભર પ્રેરણાત્મક લેખો વાંચો.
e-Book સેલ્ફ મેનેજમેન્ટ by Dr. Sanjay Koriya
View On WordPress
0 notes
૩૩. મરણિયો બને એ જીવી જાણે!
૩૩. મરણિયો બને એ જીવી જાણે!
33. Who becomes Desperate, he only lives!
મરણિયા બન્યા વિના જીત મળતી નથી.
સિકંદર એના જીવનકાળમાં ઘણી લડાઈઓ લડયો અને જીત્યો. પોતાના સાથીદારો, પ્રધાનો અને સેનાપતિઓ સાથે પૂરતો વિચારવિમર્શ કરીને એ લડાઈનું નેતૃત્વ સંભાળતો. મોરચા પર જાતે હાજર રહેતો અને જરૂર જણાતાં રણમેદાનમાં પણ ઊતરતો. કેટલીક લડાઈઓ એના સેનાપતિઓ લડતા. સિકંદર એ વાતથી સભાન હતો કે ભલે લડાઈ એના નામે લડાતી હતી, પરંતુ લડનારા તો સેનાપતિઓ અને…
View On WordPress
0 notes
૩૨. સપનાંની સૃષ્ટિ - જાગતી અને ઊંઘતી!
૩૨. સપનાંની સૃષ્ટિ – જાગતી અને ઊંઘતી!
32. The World of Dreams -Awake and Asleep!
સ્વપ્ન એ માનવજીવનની અત્યંત પેચીદી પ્રક્રિયા છે.
મહાન સિકંદર પણ સામાન્ય માણસની જેમ સપનાં જોતો હતો. એનું ફેવરીટ સપનું વિશ્વવિજેતા બનવાનું હતું. એની જીવનકથાના લેખક પ્લુટાર્ડના કહેવા મુજબ વિજેતા બનવાનું સપનું તો તેણે માત્ર સોળ વર્ષની ઉંમરે જોયું હતું અને છેક સુધી જોયા કર્યું હતું. અલબત્ત, એનું આ સપનું જાગતી આંખે જોયેલું સપનું હતું. ઊંઘમાં એણે જોયાં હશે એ…
View On WordPress
0 notes
૩૧. સફળતા - વહેંચવાથી વધે!
૩૧. સફળતા – વહેંચવાથી વધે!
31. Sharing increases Success!
સુખ વહેંચવાથી વધે!
સિકંદર વિજેતા હતો. એ એના લગભગ દરેક અભિયાનમાં સફળ થયો હતો. ઘણા લોકો સિકંદરની પ્રશંસા કરતા અને ઘણા ખુશામત પણ કરતા. મોટાભાગના લોકો સિકંદરની માનસિક સજ્જતા, વિચારશીલતા, લડાયક જુસ્સો અને વ્યૂહરચનાની દાદ દેતા. સિકંદર એ બધું ચૂપચાપ સાંભળી લેતો. પરંતુ એથી ફુલાઇ જતો નહોતો. એને પોતાના વિજેતાપદનું ગૌરવ જરૂર હતું, પરંતુ એને એ વાતનો પણ પૂરેપૂરો અહેસાસ હતો કે…
View On WordPress
0 notes
૩૦. વસ્ત્રોની પસંદગી અને પસંદગીના વસ્ત્રો!
૩૦. વસ્ત્રોની પસંદગી અને પસંદગીના વસ્ત્રો!
30. Choice of Clothing and Clothing with Choice!
ઉત્તમ વસ્ત્રો વ્યક્તિત્વની શાન વધારે છે.
મહાન સિકંદરનાં કલાકારે દોરેલાં અનેક ચિત્રો જોવામાં ક્યાંક આવ્યા હશે. કલાકારોએ હંમેશાં સિકંદરને સેનાપતિને છાજે એવા બખ્તર-બંધ પહેરવેશમાં જ રજૂ કર્યો છે. સિકંદરની ધોતિયા-ઝભ્ભામાં કે પેન્ટ-બુશર્ટમાં કદી કલ્પના કરી છે? ખરેખર તો આવી કલ્પના કરવાનું પણ અઘરું લાગે છે. એનું કારણ એ છે કે સિકંદરનો પોશાક એની ઓળખાણનું…
View On WordPress
0 notes
૨૯. ગાત્રો શિથિલ તો કર્મ શિથિલ!
૨૯. ગાત્રો શિથિલ તો કર્મ શિથિલ!
29. Limbs are weak, Actions would be weak!
શરીર સ્વસ્થ તો મન સ્વસ્થ
સિકંદર જેવા સફળ માણસો માટે એમનું શરીર એક બહુ મોટી અસ્ક્યામત બની રહેતું જોવા મળ્યું છે. સુખી અને આનંદદાયક જીવન જીવવા માટે શરીર કદાચ સૌથી વધુ મહત્વનું છે. શારીરિક રીતે સ્વસ્થ અને તંદુરસ્ત વ્યક્તિ ખાવા-પીવાનું અને મજાની ઊંઘનું સુખ સહેલાઈથી પામી શકે છે. એ ઉપરાંત સ્વસ્થ શરીર હોય તે કામ પણ સારી રીતે કરી શકે છે અને પરિસ્થિતિ તથા…
View On WordPress
0 notes
૨૮. તાણ એટલે લાગણીનો ચકરાવો!
૨૮. તાણ એટલે લાગણીનો ચકરાવો!
28. Stress means Emotional Cyclone!
તાણ આપણને હતાશ અને નિરાશ બનાવી દે છે.
સિકંદર એવું માનતો હતો કે આ જગતની કોઈ સમસ્યા એવી નથી, જેનો ઉકેલ ન હોય. સમસ્યા હોય ત્યાં ઉકેલ પણ હોય જ. ક્યારેક ઉકેલ ન જડે એવું બને, પરંતુ જેની આપણને ખબર ન હોય એનું અસ્તિત્વ જ નથી એમ માની લઈએ ત્યારે જ ભૂલ થતી હોય છે. કાર્લ રોજર્સ નામનો મનોવિજ્ઞાની તો એમ ક���ેતો હતો કે માણસ પ્રયત્ન કરે તો પોતાની સમસ્યાનું મૂળ પોતે જ શોધી શકે…
View On WordPress
0 notes
૨૭. તાણ: વીંધી નાંખતું બાણ!
૨૭. તાણ: વીંધી નાંખતું બાણ!
27. Stress – Pricking Arrow!
તાણ આપણી શક્તિઓને હણી નાંખે છે.
જિંદગી આખી લડાઈઓ લડતા રહેલા સમ્રાટ સિકંદરને લડાઈઓના માનસિક તનાવનો પણ ઘણો સામનો કરવાનો આવ્યો હશે એ સ્વાભાવિક છે. સિકંદરનો પ્રશ્ન માત્ર લડાઈ લડવા પૂરતો કે નવા નવા પ્રદેશો જીતવા પૂરતો જ સીમિત નહોતો. પોતાના વિસ્તરતા જતા રાજ્યમાં વ્યવસ્થાતંત્ર ગોઠવવા ઉપરાંત લોકોની સુખાકારીની પણ એણે ચિંતા કરવાની હતી. પોતાના વહીવટકર્તાઓ અને કર્મચારીઓ…
View On WordPress
0 notes
૨૬. મનની શક્તિનાં અતલ ઊંડાણ!
૨૬. મનની શક્તિનાં અતલ ઊંડાણ!
Mysterious Depth of Mind’s Strength!
વિશ્વવિજેતા સિકંદરની સફળતા માટે એની શારીરિક તાકાત કદાચ કંઈક અંશે જવાબદાર હશે. પરંતુ માત્ર શારીરિક બળથી કદી વિજેતા બની શકાતું નથી. ગમે એટલી શારીરિક તાકાત કળ અને માનસિક સ્ફૂર્તિ વિના અધૂરી છે. માત્ર પાશવી શારીરિક તાકાત ધરાવતી વ્યક્તિને પણ કરાટે, કૂંગફૂ કે ટેકવાન ડો જેવી કળામાં નિષ્ણાત વ્યક્તિ પેલા કરતાં અડધી શારીરિક તાકાત હોય તો પણ મહાત કરી શકે છે. કેવળ શારીરિક…
View On WordPress
0 notes
૨૫. અહંની સમજ – ગેરસમજ!
૨૫. અહંની સમજ – ગેરસમજ!
25. Understanding – Misunderstanding of Ego!
અહં વિશે સમજ કરતાં ગેરસમજ વધુ છે.
મહાન સિકંદરના જીવનના ઘણા પ્રસંગો એવા છે, જેમાંથી એનું વિશિષ્ટ વ્યક્તિત્વ છતું થાય છે. આમ છતાં સિકંદર ભારત આવ્યો અને પોરસને હરાવ્યો એ પછીનો પ્રસંગ બહુ ચર્ચાયો છે. કેટલાક લોકો એવું પણ પ્રતિપાદિત કરી રહ્યા છે કે પોરસ હાર્યો જ નહોતો. ખેર, આપણે તો ઇતિહાસને જ માનવો રહ્યો. સિકંદરના પોરસ સાથેના એ પ્રસંગમાંથી પણ શોધવા બેસીએ…
View On WordPress
0 notes
૨૪. શીખતો નર સદા સુખી!
૨૪. શીખતો નર સદા સુખી!
24. Person who learns is always Happy!
જે સતત શીખે છે તે સફળતાપૂર્વક જીવે છે.
વિશ્વવિજેતા બનવા માટે કોઈ એક લક્ષણ પૂરતું ન થાય, એ માટે તો અનેક ગુણો અને લક્ષણોનું સંયોજન થવું જોઈએ. આવાં અનેક લક્ષણોની યાદી બનાવીએ તો એમાંથી એક લક્ષણ અલગ તરી આવે છે. આ એક લક્ષણનું એટલું મહત્ત્વ છે કે જો એ ન હોય તો બાકીનાં મોટા ભાગનાં લક્ષણો એકડા વિનાનાં મીંડાં જેવા બની જાય છે. સિકંદરના જીવન પર નજર નાખીએ તો…
View On WordPress
0 notes
૨૩. સ્મૃતિની સિસ્ટમ!
23. System of Memory
સ્મૃતિ સતેજ કરવા તેની સિસ્ટમ સમજવી પડે.
સ્મૃતિ અને વિસ્મૃતિના માનસિક વેપારની વાત કર્યા પછી સ્મૃતિ વધારવા અને સતેજ કરવા માટે શું કરી શકાય એનો વિચાર કરવો જોઈએ. મનોવિજ્ઞાને સ્મૃતિ–વિસ્મૃતિની વિગતે મીમાંસા કર્યા પછી આ વ્યવહારુ ઉપાયોનો સૈધ્ધાંતિક સમજ સાથે અમલ કરવાથી સ્મૃતિ ઘણા ભાગે સુધારી શકાય છે. એ યાદ રાખવા જેવું છે કે સિકંદરના જમાનામાં મનોવિજ્ઞાનનો વ્યવસ્થિત અને પ્રાયોગિક…
View On WordPress
0 notes
૨૨. વિસ્મૃતિ - એક સાહજિક બાબત છે!
૨૨. વિસ્મૃતિ – એક સાહજિક બાબત છે!
22. Forgetting is a Natural Thing!
કશુંક ભૂલી જવું એ માનવસહજ સ્વભાવ છે.
સ્મરણની પ્રક્રિયાને સમજયા પછી વિસ્મરણનો પણ વિચાર કરવો પડે તેમ છે. માણસ ઘણું બધું યાદ રાખી શકે છે એ એક હકીકત છે તો માણસ ઘણું બધું ભૂલી જાય છે એ પણ એટલી જ નક્કર હકીકત છે. વિસ્મૃતિ એ જીવનનો સામાન્ય અને સાહજિક અનુભવ છે. કેટલીક બાબતો પૂરેપૂરી અથવા સદંતર ભૂલાઈ જાય છે, કેટલીક અડધીપડધી ભૂલાઈને ધૂંધળી બની જાય છે ત્યારે કેટલીક વાતો…
View On WordPress
0 notes
૨૧. સતેજ સ્મૃતિની મહામૂલી મૂડી!
૨૧. સતેજ સ્મૃતિની મહામૂલી મૂડી!
21. Precious Wealth of Bright Memory!
સતેજ સ્મૃતિ સફળતા માટે પાયાની ઈંટ સમાન છે.
કહેવાય છે કે મહાન સિકંદર પોતાના દરબારીઓ, સૈનિકો અને નિકટના સાથીઓના જીવનની મહત્ત્વની ઘટનાઓને પ્રસંગોપાત યાદ કરીને સંબંધોના સેતુને સંસ્મરણો દ્વારા મજબૂત કરતો રહેતો. આપણા કોઈક મિત્રને એના જન્મ દિવસે કે લગ્નતિથિએ યાદ કરીને અભિનંદન પાઠવીએ તો એને ખૂબ આનંદ થાય છે અને એ આત્મીયતાનો અનુભવ કરે છે. આવી શુભચેષ્ટા ક્યારે અને…
View On WordPress
0 notes
૨૦. રમૂજ: લગાડવા જેવો ચેપ!
૨૦. રમૂજ: લગાડવા જેવો ચેપ!
20. Humour – Let it be Infectious!
હાસ્યથી જિંદગી સ્વર્ગ સમાન લાગે છે.
સમ્રાટ સિકંદરની પ્રકૃતિ ઘીર-ગંભીર હતી. એ ખૂબ વિચારશીલ હતો. એનો ભાગ્યે જ કોઈ નિર્ણય આડેધડ રહેતો. છતાં એના વ્યક્તિત્વ પર આ લક્ષણોનું જરાય ભારણ વર્તાતું નહોતું. એના ચહેરાની રેખાઓ ભાગ્યે જ તંગ જોવા મળતી. યુધ્ધના મેદાનમાં પણ એ વ્યક્તિત્વની હળવાશને જાળવી રાખતો. નિરાંતના સમયમાં વાતો ચાલતી હોય ત્યારે સિકંદર પોતાના સાથીઓ અને દરબારીઓ…
View On WordPress
0 notes